ભારતે અમેરિકાનો માનવ અધિકાર પરનો રિપોર્ટ ફગાવ્યો: કહ્યું- રિપોર્ટ ખૂબ જ પક્ષપાત ભર્યો છે
- 25 Apr, 2024
ભારતે ગુરુવારે માનવઅધિકારોના કથિત ઉલ્લંઘનવાળા અમેરિકાના વિદેશ વિભાગના રિપોર્ટને નકાર્યો છે. અમેરિકાએ તેના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે મણિપુરમાં જાતીય હિંસા ફેલાઈ પછી રાજ્યમાં મોટા પ્રમાણમાં માનવઅધિકારોનું હનન થયું છે.
ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના રિપોર્ટને પક્ષપાતી હોવાનું કહીને ફગાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. કોલંબિયા યુનિવર્સિટી અને અમેરિકાની અન્ય યુનિવર્સિટીઓમાં દેખાવોને લઈને રણધીર જયસ્વાલે કહ્યું કે અમે રિપોર્ટ જોયો છે અને સંબંધિત ઘટનાઓ પર અમારી નજર છે. લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા, જવાબદારીની ભાવના અને સાર્વજનિક સુરક્ષા અને વ્યવસ્થાની વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ